If they give you ruled paper, write the other way

If they give you ruled paper, write the other way – Alice Sebold

મિત્રો આજે હું મારા બ્લોગની શરૂઆત ડૉ. અશોક પટેલ ની એક કવિતા થી કરીશ. કવિતા છે: આર્ટ-ગેલેરી. 

“આર્ટ- ગેલેરી”
મારું ઘર નવું નક્કોર.
એની દીવાલો 
ચુને મઢેલી ચારેકોર 
આ બધી દીવાલો પર 
ફરી વળ્યા છે 
બે હાથ નાના નાના !
કોલસો, રંગ, પેન્સિલ કે પેન
જે હાથે ચઢ્યું તેનાથી 
સાવ છાનામાના !
જાતજાતના,ભાતભાતના આકાર, 
એમાં સૌ  નિરાકાર!
સમજાય તો હસાય,
ના સમજાય તોય ત્યાંથી ના ખસાય ! 
શરૂઆતમાંમમ્મી રોકતી, ટોકતી.
ઘાટ આવે તો ક્યારે ઠોકતી.
પણ એની કમાન એવી છટકી
પ્રવૃત્તિ જરી  ના અટકી.
વોલપેપર લાવેલા 
થોકબંધ પડ્યા છે.
કબાટ ખોલું તો 
સૌ  અકબંધ જડ્યા છે.
સૌ કહે છે, “તારા ઘેર
કેવું તે ચિતરામણ છે?”
ધીમેથી હું કહું છું:
“એ જ ચિત્તરામણ છે.”
છે ઘરને મારે એક ગેલેરી
પણ ઘર આખું છે  મારું  આર્ટ ગેલેરી !

કેટલું સુંદર લખ્યું છે, ડૉ અશોકએ. કદાચ મને સુંદર વધારે લાગે છે  કારણ કે મારું ઘર પણ આવી જ આર્ટ-ગેલેરી છે. મિત્રો, જયારે પણ મારા ઘરે કોઈ નવા મહેમાન આવે છે, ચર્ચાની શુરુઆત આર્ટ-ગેલેરી થી જ થાય  છે. પણ મઝા તો ત્યારે આવે છે જયારે ઘણા લોકો આ આર્ટ-ગેલેરીને જોઈને પ્રતિક્રિયામાં હસતા મોઢે અમારા વખાણ કરે, હું ખરેખર ત્યારે એમના મનને વાંચવાનો પ્રયત્ન કરતી હોઉં છું. સાચું કહું તો આર્ટ-ગેલેરી જોઇને ઘણાના મગજ માં  ચોક્કસ ચાલતું  હશે કે આ તો તદ્દન  ગાંડપણ,  કેટલું indiscipline?, બાળકને આવી તો છૂટ અપાતી હોય?, બાળક પર કન્ટ્રોલ જ  નથી,  મારા બાળકની મજાલ છે કે આવું  કરવાની હિંમત પણ કરે, મારું બાળક તો બહુ કહ્યાગરુ, માં-બાપે ફટવી મુકેલ છે, વગેરે વગેરે. 

મિત્રો, આજે હું ડૉ અશોક ની કલ્પનાની આર્ટ –ગેલેરી અને  મારા ઘરની વાસ્તવિક આર્ટ-ગેલેરી ને ઉદાહરણ સ્વરૂપ લઇ, ‘બાળ કેળવણીમાં અનુશાસન કેવું હોવું જોઈએ‘ જેવા વિચારની સમીક્ષા કરવા માંગું છું. હું માનું છું કે કોઈ પણ વિચારધારા ક્યારેય સંપૂર્ણ સાચી કે ખોટી નથી હોતી. પછી એ રાજનીતિમાં હોય, શિક્ષામાં  હોય કે વિજ્ઞાનની કોઈ શોધ ની હોય. પણ, અલગ-અલગ વિચારધારાને સન્માન આપવું અને એને તઠસ્થરૂપથી મુલવવી એ સમાજના વિકાસ માટે ખુબ આવશ્યક છે. બાળ કેળવણી વિષય પર ઘણા વિષયવિદો એ ઘણું બધું અધ્યયન કર્યું છે અને એના પર ઘણું સાહિત્ય પણ ઉપલબ્ધ છે. આપણે  જો બાળ કેળવણીના સામાન્ય પ્રવાહ કે મુખ્યધારાને જોઈએ તો એમાં શિસ્ત / Discipline  ને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. જેમાં વયસ્ક વ્યક્તિ બાળક્ને નિર્દેશ આપે છે અને  બાળક્ને  મોટાભાગે વધારે સવાલ પૂછ્યા વગર એનું પાલન કરવાનું હોય છે. અહીં વયસ્ક અને બાળક વચ્ચે સમાનતા કરતા સત્તાનો સંબંધ વધારે હોય છે. જેમાં એક નિર્દેશ આપનાર  અને એક એનું પાલન કરનાર હોય છે. અહી વયસ્ક તરીકે બાળકના વાલી, પરિવારગણ અને શિક્ષકનો સમાવેશ થાય છે. આપણા દેશના  મોટાભાગના કુટુંબોને અને જૂની કોન્વેન્ટ શાળાઓને આ સામાન્ય અને પ્રખ્યાત પ્રવાહના ઉદાહરણરૂપે જોઈ શકાય. 

જ્યારે બીજી એક વિચારધારા પ્રચલિત છે જેમાં સ્વ-અનુશાશન / Self Discipline ને વધુ મહત્વ આપવામાં આવે છે. આ પદ્ધતિનો ઉલ્લેખ મેડમ મોન્ટેસરી, ગીજુભાઈ, પ્રોફ. ઓ નીલ, કૃષ્ણમૂર્તિ કે થોડે ઘણે અંશે ગાંધીજીના સાહિત્યમાં થયેલો જોવા મળશે. આ વિચારધારામાં બાળકમાં Self Discipline લાવવા માટે પ્રયત્ન કરવામાં  આવે છે. આ રીતની કેળવણીમાં બાળકને પોતાના મંતવ્ય આપવાનો અને નિયમોને આત્મસાત કરવાનો સમય અને મોકળાશ આપવામાં આવે છે. ચોક્કાસરૂપે બંને પ્રવાહના ફાયદા છે અને સાથે-સાથે મર્યાદાઓ પણ છે. પરંતુ આજની પરિસ્થિતિમાં જ્યાં દુનિયાભરમાં શિક્ષણ વ્યવસ્થા નિષ્ફળ જઈ રહી છે, જ્યાં શિક્ષા માનવીય મુલ્યો થી પરે માત્ર અને માત્ર અક્ષરજ્ઞાન પર કેન્દ્રિત  થઇ રહી છે. જ્યાં માતા-પિતા બાળકોને વ્યવહારિક જ્ઞાનથી દુર માત્ર ડીગ્રીઓ ની દોડમાં દોડાવી રહ્યા છીએ,  હું આ બંને માંથી બાળક ને Self Disciplined બનાવવાની વિચારધારામાં વધારે વિશ્વાસ રાખું છું. અને એટલે જ મારા ઘરની  આર્ટ-ગેલેરી મને બહુ પ્રિય છે. 

બાળ કેળવણીમાં  Self Discipline ઉભું કરવું એ કપરો રસ્તો છે  એમાં  બહુ જલ્દી પરિણામ મળતા નથી,  નિરાશા પણ વધારે મળે છે, લોકોની ટીકા પણ વધારે સંભાળવી પડે છે પણ મને લાગે છે કે બાળકને જો સ્વસ્થ માનસિકતા અને સ્વતંત્ર વ્યકતિત્વ આપવું હોય તો માં-બાપે આ રસ્તો  લેવો જોઈએ. આજે વર્તમાન  શિક્ષણ  વ્યવસ્થાઓં  બાળકોને મશીન જ બનાવી રહી છે.  બાળકની કલ્પનાશક્તિ,  ઉત્સુકતા અને નિર્દોષ  બાળપણ બહારના જગતમાં તો પ્રત્યેક ક્ષણે એનાથી દૂર કરવામાં આવી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં માતા-પિતા તરીકે આપની જવાબદારી ઔર વધી જાય છે કે આપણે બાળકની સ્વતંત્રતાને વધુ મહત્વ આપીએ. સ્વતંત્રતાથી મારો અર્થ એ ક્યારેય Indiscipline નથી. પણ, માત્ર નિર્દેશો/ Instructions  નું પાલન કરાવી ને જ અનુશાસન લાવી શકાય એ  માન્યતાની હું  ટીકા કરું છું.  Fences are needed for garden but fences cannot create flowers. આ રીતે લદાયેલું અનુશાસન બાળક ના વર્તમાન પર જ નહિ એના ભવિષ્ય પર પણ ઘણી માઠી અસર કરે છે. માત્ર નિર્દેશોનું પાલન કરીને મોટું થયેલું બાળક વયસ્ક થયા પછી પણ સમસ્યાઓ નું સમાધાન શોધવામાં ડરે છે,  તેની નિર્ણયક્ષમતા વિકસિત થઇ શકતી  નથી અને તેઓ જાતે પોતાના નિયમ બનાવી શકતા નથી. 

આ  વિષય પર વિચારવું, લખવું અને વાંચવું બહુ complex છે છતાં જરૂરી છે.  મનુભાઈએ ખુબ સુંદર વાત કીધી છે. ‘આજે આપણે દુનિયાભરની અપેક્ષાઓ લાદીને બાળકો પર ત્રાસ ગુજારી રહ્યા છીએ. પેલી ગુલીવર ની વાર્તા છે ને, જેમાં  ઠીંગુજી મોટા લોકોની દુનિયામાં અટવાઈ જાય છે! આ બાળકો તે ગુલીવર છે અને આપણે સૌ મોટા કદના રાક્ષસો ! આપણા ઢાળમાં તેમના બીબા ઢાળીએ છીએ. પણ જીવનનો એક લય છે. બાળકમાં  એ લયને એની મેળે  લહેરવા દો. બધું આપમેળે સુંદર સર્જાશે.  

ગુજરાતીમાં એક બહુ જૂની કહેવત છે કે સપૂતો ચીલે ચાલતા નથી.  તેઓ પોતાનો ચીલો જાતે ઉભો કરે છે.  આજે આપણા સમાજ ને નવા ચીલા ઉભા કરી શકે એવા યુવાઓ જોઈએ છે. આજે સમાજમાં દાર્શનિક (Visionary)લોકો, વૈચારિક (Thinkers) લોકો અને સારા Leaders ની તાતી જરૂર છે. આવા વ્યકતિત્વ ઉભા કરવા માટે બીજ તો બાળપણમાં જ રોપવા પડેને. પણ શું આપણે એના બીજ રોપી રહ્યા છે? ખરેખર  મિત્રો વિચારવા  જેવું  છે.  આપણે  આપણા બાળકોને એ વાતાવરણ આપવું પડશે  કે જ્યાં એ  માત્ર  instructions follow કરનાર ના બને પણ  પોતાનો ચીલો જાતે ચિતરનાર બને. આ માટે જ  મેં મારા દીકરાની કેળવણી માટે  એક ગુરુમંત્ર અપનાવ્યો છે,  “If they give you ruled paper, write the other way my dear……” 

બની શકે ઘણા વાચક મિત્રો મારી વાત થી અસહમત હોય, હું એમના વિચારોને સમાન આદર આપું છું પણ સાથે સાથે આ વિષય પર વધુ વિચારવાની વિનતી પણ કરું છું કે જેથી સમાજને સ્વસ્થ માનસિકતા વાળી નીડર પેઢી આપી શકીએ કારણ કે આપણી વર્તમાન શિક્ષણ વ્યવસ્થા અને એની પાછળ આપણી જ આંધળી દોટ એ ક્યારેય નહિ કરી શકે. 


Comments

  1. Your Feed-back is appreciated.

    ReplyDelete
    Replies
    1. True... Very well written... I strongly believe a child should be given right to express .... Swantrata vina vyaktitva no vikas ane maulikta vina charitra no vikas ashakya chhe... Jivan na ghadatar mate mata pita no abhigam e payo chhe parantu darek samaye koi satat sathe rahi chalavi na shake Eva samaye self discipline j margdarshak bane... Nice Riddhi...

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. I totally agree with your thoughts as well as the method you are suggesting for child growth. Liberty given to child to walk on his/her idea would definitely provide a unique creative person to the world. The indiscipline person also carries a unique kind of discipline in his character which itself is a great achievement.
    Regs, Divij

    ReplyDelete
  4. Very interesting topic u have initiated..Well penned and well described..But again it's totally theoretical way..I would like if you would discuss exactly practically how parenting should be to inculcate the idea of self discipline..?? Of course children learn in due course of their journey and we should let them decide...Walk..Fall..Get up etc so that they learn from their mistakes to be a better person..But that doesn't mean that we as a parent we should allow their "freedom" unless they actually understand the meaning of freedom..As a parent at times we have to instruct also the importance of discipline..Through various ways...Let's discuss openly...Very beautiful topic indeed! 👌

    ReplyDelete
    Replies
    1. I absolutely agree with you. The ways of discipline need to be discussed. Many times we impose discipline, often brutally, out of anger rather than deliberation. Many times without examining the problem and without taking time to consider which form of discipline is appropriate for particular problem that many times gives negative impact. But, the most important thing is it should be discussed openly.

      Delete
  5. Wonderful start Riddhi! What a polarising topic! I wonder that if there is only dichotomy of approach? Can't there be a mix and match? Looking forward to more output from your pen...

    ReplyDelete
  6. બ્લોગજગતમાં સ્વાગત છે...
    આજે આપણા સમાજને નવા ચીલા ચાતરી શકે એવા યુવાઓ તૈયાર કરવા માટે બાળકોને વડીલપણાના ધાક વીનાનું વર્ચસ્વમુક્ત વાતાવરણ આપવાની જરુર છે.
    જીવનનો એક લય છે. બાળકમાં એ લયને એની મેળે લહેરવા દો. બધું આપમેળે સુંદર સર્જાશે...

    ReplyDelete
  7. સરસ વિષય છે.self discipline is preferable.એના થી આત્મવિશ્વાસ ,જિગ્નાશા,સર્જક્તા વધી શકે. પરંતુ આ અને લદાતી શિસ્ત વચ્ચે પાતળી રેખા છે. ઉમર પ્રમાણે વિવેક વાપરવૉ જરૂરી.અન્યને તથા પોતાને નુકસાન ન થાય તેની કાળજી રાખવી જોઈએ. બાકી બાળકને નિજી લયમાં
    મોટા થવા દો. Continue writing blog &initiate brainstorm

    ReplyDelete
  8. સરસ વિષય છે.self discipline is preferable.એના થી આત્મવિશ્વાસ ,જિગ્નાશા,સર્જક્તા વધી શકે. પરંતુ આ અને લદાતી શિસ્ત વચ્ચે પાતળી રેખા છે. ઉમર પ્રમાણે વિવેક વાપરવૉ જરૂરી.અન્યને તથા પોતાને નુકસાન ન થાય તેની કાળજી રાખવી જોઈએ. બાકી બાળકને નિજી લયમાં
    મોટા થવા દો. Continue writing blog &initiate brainstorm

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

આત્માનો અમી --- ઓળખો, વહેંચો અને જીવો

Tongue Twister or Thought Twister...